Top Stories
khissu

હવે 120 મહિમા નહી પણ 115 મહિના રૂપિયા થશે ડબલ, જાણો post officeની યોજના વિશે

એપ્રિલ 2023માં કિસાન વિકાસ પત્ર યોજનામાં વ્યાજ દર માં વધારો કરવામાં આવ્યો. કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ ઉપલબ્ધ વ્યાજ દર 7.2 ટકાથી વધારીને 7.4 ટકા સુધીનો કરવામાં આવ્યો હતો. આ વ્યાજ દરમાં વધારા બાદ હવે આ યોજના હેઠળ જમા રકમ ટૂંક સમયમાં બમણી થઈ જશે. જાણીએ કેટલા સમય માં?

યોજનાનું નામ શું છે?
કેન્દ્ર સરકારની યોજના છે. પોસ્ટ ઓફિસ ની યોજના છે. કિશાન વિકાસ પત્ર યોજનાનું નામ છે. ઘણા વર્ષોથી ચાલે છે. ઘણા લોકોએ લાભ ઉઠાવ્યો છે. ખાસ કરીને ગામડાંના લોકો માટે બનાવવામાં આવેલ છે. તમે ઓછામાં ઓછા રૂ. 1,000 અને વધુમાં વધુ કોઈપણ એકમ રકમનું રોકાણ કરી શકો છો. 

વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો પછી શું ફાયદો? 
એપ્રિલ 2023 પછી વ્યાજ દરમાં વધારો કરવાના સરકારના નિર્ણય પછી, આ યોજના હેઠળની જમા રકમ બમણી કરવાનો સમયગાળો હવે ઘટ્યો છે. જ્યાં પહેલા તેને ડબલ થવામાં 120 મહિના લાગતા હતા, હવે કિસાન વિકાસ પત્ર હેઠળ પૈસા માત્ર 115 મહિનામાં ડબલ થઈ જશે.

કેટલું રોકાણ કરો તો કેટલા મહિના લાગે? જો તમે આ સ્કીમમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો 115 મહિના પછી તમને મેચ્યોરિટી પર 20 લાખ રૂપિયાની રકમ મળશે. આ યોજના હેઠળ સરકાર ચક્રવૃદ્ધિ વ્યાજ દરનો પણ લાભ આપે છે.
કોણ લાભ લઈ શકે છે? ગામડાંના કે શહેર ના કોઈપણ લોકો લાભ લઈ શકે છે. આ યોજનામાં ઓછામાં ઓછા રૂ.1000નું રોકાણ કરી શકો અને મહત્તમ રકમ રૂ. 100ના ગુણાંકમાં રોકાણ કરી શકાય છે. આ યોજનામાં બે અથવા ત્રણ લોકો એક સાથે અથવા સંયુક્ત રીતે ખાતું ખોલાવી શકે છે. આ યોજના હેઠળ 10 વર્ષથી વધુ ઉંમરના બાળકોનું ખાતું ખોલાવી શકાય છે.

જો ખાતા ધારકનું મૃત્યુ થાય તો કોને લાભ મળે? 
જો KHISHAN VIKAS PATR ખાતાધારકનું મૃત્યુ થાય છે, તો આવી સ્થિતિમાં નોમિની ખાતામાં જમા થયેલી રકમનો કરી શકાય છે. જે માટે તમારે ખાતાધારકનું મૃત્યુ પ્રમાણપત્ર ( death certificate) અને તમારું આઈડી પોસ્ટ ઓફિસમાં જમા કરાવવું પડશે. તે પછી એક ફોર્મ ભરવાનું રહેશે. તે પછી તેમના પરિવારના કોઈપણ વ્યકિતને પૈસા મળી જશે.