Top Stories
khissu

Post office schemes: સરકારની સુપરહિટ સ્કીમ! ગેરંટી સાથે પૈસા બમણા થશે, જાણો વિગતે

દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય સારું બનાવવા માંગે છે. અને આ માટે તે બચત કરે છે અને રોકાણ કરે છે. બચત અને રોકાણની વાત આવે ત્યારે દરેકની પદ્ધતિ અલગ હોય છે. આવી સ્થિતિમાં આજે તમારે લોકોને પોસ્ટ ઓફિસની એક સારી સ્કીમ વિશે જાણવુ જોઇએ.

આ યોજનામાં રોકાણ કરીને, તમારા પૈસા થોડા મહિનામાં બમણા થઈ શકે છે. અમે જે સ્કીમ વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે “કિસાન વિકાસ પત્ર” જે રોકાણની સલામત રીત છે. આ યોજનાની સૌથી મહત્વની બાબત એ છે કે તેના પર ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. આ રીતે, યોજનામાં રોકાણકારોને ચક્રવૃદ્ધિનો લાભ મળે છે. હાલમાં, આ યોજના વાર્ષિક 6.9% ચક્રવૃદ્ધિ વ્યાજ ઓફર કરે છે.

તદનુસાર, “કિસાન વિકાસ પત્ર” યોજનામાં રોકાણ કરેલ તમારા પૈસા 124 મહિનામાં બમણા થઈ જાય છે. આ સ્કીમ કોઈપણ FD કરતા વધારે વળતર આપે છે. આ માટે પાકતી મુદત 124 મહિના છે, પરંતુ તમે તમારી જરૂરિયાત મુજબ રોકાણને રોકડ કરી શકો છો. આ સ્કીમમાં એકમાત્ર શરત એ છે કે તે 30 મહિનાના લોક-ઇન સમયગાળા સાથે આવે છે.  એટલે કે, તમે રોકાણના અઢી વર્ષ પછી કોઈપણ સમયે કિસાન વિકાસ પત્રને રોકડ કરી શકો છો.

આ સ્કીમમાં પૈસા રોકવાનો બીજો ફાયદો છે. આ સ્કીમ ટેક્સમાં છૂટ પણ આપે છે. જો તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે તો તમે આ સ્કીનો લાભ લઈ શકો છો. આમાં, સિંગલ સિવાય, સંયુક્ત ખાતું ખોલવાનો વિકલ્પ પણ છે. આ એક વખતની રોકાણ યોજના છે. એટલે કે તમારે દર મહિને કે દર વર્ષે તેમાં પૈસા મૂકવાની જરૂર નથી. તમે આમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરી શકો છો. આમાં રોકાણ માટે કોઈ મહત્તમ મર્યાદા નથી.