khissu

વર્ષાવિજ્ઞાન નાં જાણીતા બે મોટાં આગાહીકારો દ્વારા આગાહી; બે વખત વરસાદ ખેંચાશે, આગળ શું ક્હ્યું...

ચોમાસા પહેલાં લગભગ સાતેક મહિના અગાઉ દેશી આગાહી કારો વરસાદનો વરતારો જોવા લાગતા હોય છે કારતક મહિનાની પૂનમથી માંડીને અખાત્રીજનો પવન અને છેક અષાઢી પૂનમ સુધીના વિવિધ પરિબળો, આકાશી કસ વનસ્પતિ ફળ ફૂલ, પક્ષી, પ્રાણી અને જીવજંતુઓની ચેષ્ટાઓ, ભડલી વાક્યો વગેરેને આધારે આગાહી કારો ચોમાસાને લઈને આગાહી કરતા હોય છે. એવામાં આગાહિકાર મગનભાઈ ચાંગેલા અને હસમુખભાઈ નિમાવત દ્વારા ચોમાસાને લઇને આગાહી કરી છે.

વરસાદ સમયસર ઓછો: પાણીની ખેંચ પડશે: ગોંડલ તાલુકાનાં ગોમટા ગામના વતની 80 વર્ષીય મગનભાઈ ચાંગેલા છેલ્લા 60 વર્ષથી શિયાળા અને ઉનાળા અને લઘુત્તમ અને મહત્તમ તાપમાન ના આધારે વરસાદની આગાહી કરે છે તેમના મતે આ વર્ષનું ચોમાસું નબળું રહેશે. અને પાણીની ખેંચ વર્તાશે.

મગનભાઈના તારણ પ્રમાણે 10 જૂનથી વરસાદનો પ્રારંભ થઇ શકે છે. 22 થી 26 જૂન દરમિયાન વરસાદ પડશે પણ અપેક્ષા પ્રમાણે ચોમાસું નથી, ખાસ કરીને પાણીની વ્યવસ્થા કરવી પડે એવી શક્યતા છે.

બે વખત વરસાદ ખેંચાશે: ભેસાણનાં અભ્યાસુ હસમુખભાઈ નિમાવત એ જણાવ્યું હતું કે તેમની પાસે 150 વર્ષ ના વરસાદ ના આંકડા ઉપલબ્ધ છે . ભારતની જેમ અમેરિકા અને ઈંગ્લેન્ડમાં પણ દેશી પદ્ધતિ વરતારો કાઢવામાં આવે છે અને લોકો તેમાં શ્રધ્ધા રાખે છે. તેમને જણાવ્યા પ્રમાણે આ વખતે સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ રહેશે. દરિયાકાંઠાનાં જિલ્લાઓને બાદ કરતાં ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ ઓછો પડશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે દેશમાં વરસાદની ઘટ 10%, ગુજરાતમાં 25% રહેશે. જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા જિલ્લામાં વરસાદ 100% પડશે. પણ સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી જેવા જિલ્લા નબળા રહેશે. જ્યાં 20 ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે. ચોમાસુ મે મહીનામાં છેલ્લા સપ્તાહમાં ટકોરા દેવા માંડશે. સમયસર શરૂ થઈ જશે પણ વચ્ચે સ્થગિત થતું રહેશે. 3 થી 16 જુલાઈ દરમિયાન સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને ઓગસ્ટ મહિનો સાવ કોરો જાય તેવી શક્યતા પણ દર્શાવી છે. તેમણે ચોમાસા દરમિયાન બે વખત વરસાદ ખેંચાય તેવા સંકેત આપ્યા હતા.